રાજકોટ ખાતે નિયમો ભંગ કરનાર ૧૨ દુકાનદારો વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી DCP ઝોન-૨ મનોહરસિંહ જાડેજા દ્વારા રાજકોટ શહેરમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવાના હેતુથી ચાની દુકાનો તેમજ પાનના ગલ્લા ઉપર સોશિયલ ડિસ્ટન્સના નિયમો નું પાલન ન થતું હોય તેવા દુકાનદારોના વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરવા અંગેની સ્પેશિયલ ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને આજરોજ ACP પશ્ચિમ વિભાગ પી.કે.દિયોરાના માર્ગદર્શનથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં આવેલ તમામ દુકાનો તેમજ ચાની લારીઓ નું ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને નિયમો નો ભંગ કરનાર કુલ ૧૨ દુકાનદારો વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર : સતીશ લુણેશીયા, રાજકોટ

Related posts

Leave a Comment